Thursday 25 August 2016

મનની વાત

મનમાં હતી જે વાત કોને કહું?
સુની લાગે કેમ રાત કોને કહું? 

પૂછ પૂછ તો સૌ કોઈ કર્યા કરે છે પણ 
સાંભરે ના કોઈ જવાબ, તો કોને કહું? 

કર્યો છે બદનામ જે રીત થી દુનિયા એ,
નથી આદમી એટલો હું ખરાબ, કોને કહું? 

રંક ગણી બેઠા મને મારી એક હાર પર,
હતો હું પણ એક નવાબ, કોને કહું?

મીલનનુ એ દ્રશ્ય હજી તાજુ છે આંખમાં,
કોના જોયા હતા ખ્વાબ, કોને કહું?

મયખાના  નો અર્થ પણ ન્હોતો ખબર આમતો,
પીતો થયો હોઈશ કેમ શરાબ, કોને કહું?

~ મહેશ ચૌધરી, “રાહી”

No comments:

Post a Comment

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...